- Advertisement -
Swaminarayan Gurukul Una Gurupurnima
Swaminarayan ઉના સ્વામિનારાયણ ગુરૂકુળમાં યોજાયો ઋષિ પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમા મહોત્સવ…
આલેખન – રવિ તન્ના
આજ રોજ વરસતા વરસાદના માહોલ ગુરૂકુળ 2000 વિધાર્થીઓ 100 જેટલા શિક્ષકો વચ્ચે ગુરૂકુળના અધ્યક્ષ પૂ.માધવદાસજી સ્વામીજીની નિશ્રામાં મંત્રોચ્ચાર વિધિ સાથે પ્રાર્થનાસભામાં વૈશ્વિક શ્લોકગાન પૂજા,અર્ચના આરતી સાથે વિધાર્થીઓએ ગુરુઓનું પૂજન કર્યું હતું.અને ગુરુપૂર્ણિમા વિશે વિધાર્થીઓએ વક્તવ્યો આપ્યા હતા. પૂ.સ્વામીજીએ ગુરુપૂર્ણિમા મહોત્સવનું હાર્દ સમજાવ્યું ગુરુશિષ્યના સંબંધો અંગે વૈદિક ચિંતન રજૂ કર્યું.
આ પર્વની વિશેષતા એ હતી કે ગૌશાળાનું વ્યવસ્થાપન કરતા ગોવાળ સાંગાભાઈ અને ગીતાબહેનનું શાલ ઓઢાડી નારિયળ પડો આપી સન્માન કર્યું હતું.લગભગ 200 વિધાર્થીઓએ ગુરુ વિષયક ચિત્રો દોરી રંગપુરણી કરી હતી.આમ ભવ્ય રીતે સંતો સમેત ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
Swaminarayan Gurukul Una Gurupurnima
- Advertisement -