Ayodhya Ram mandir raam temple management
અયોધ્યા રામ મંદિર : કેટલીક માળખાકીય અને વ્યવસ્થાપનની વિશેષતા…
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં 22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિરની પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌએ તેના વિશે વર્તમાન પત્ર, ટીવી જેવા જાહેર માધ્યમોમાં ઘણું વાંચ્યું છે ઘણું સાંભળ્યું છે. સમગ્ર ભારત દેશમાં તેની ઉજવણીની રાહ જોવાઈ રહી છે.
કેવું છે આ રામ મંદિરનું બાંધકામ ?
મંદિરના નિર્માણમાં સૌથી નોંધપાત્ર વૈજ્ઞાનિક નવીનતાઓમાંની એક તેનો પાયો છે. મંદિર રોલ્ડ કોમ્પેક્ટેડ કોંક્રિટના 15-મીટર જાડા સ્તર પર બાંધવામાં આવ્યું છે, જેમાં ફ્લાય એશ, ધૂળ અને રસાયણોમાંથી બનેલા કોમ્પેક્ટેડ કોંક્રિટના 56 સ્તરોનો સમાવેશ થાય છે.
રામ મંદિરનું બાંધકામ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે ?
રામ મંદિરનું બાંધકામ “ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડ” , “લાર્સન” , “ટુર્બો” કંપની દ્વારા કરવામાં આવ્યું છે.
ખૂબ જ ખાસ પસંદ કરેલ ગ્રેનાઈટ, સેન્ડસ્ટોન અને માર્બલ પથ્થરો છે જેનો રામ મંદિરના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
મંદિરનો શિલાન્યાસ સમારોહ 5 ઓગસ્ટ, 2020 ના રોજ યોજાયો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક વિધિઓ કરી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દેખરેખ હેઠળના મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024 ના રોજ થવાનું છે.
2020 માં સોમપુરા પરિવાર દ્વારા બનાવવામાં આવેલ મંદિરની ડિઝાઇન, હિન્દુ સ્થાપત્ય સિદ્ધાંતોને અનુસરે છે અને તે વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંનું એક હશે. તેમાં ઊભેલું પ્લેટફોર્મ, બહુવિધ મંડપ અને જટિલ કોતરણીઓ છે. મંદિરમાં પૂજાતા દેવતા રામ લલ્લા વિરાજમાન છે, જે રામનું શિશુ સ્વરૂપ છે.
રામ મંદિરનો ખુલવાનો અને બંધ થવાનો સમય શું હશે ?
સવારનો સમય : 7:00 – 11:00
સાંજનો સમય : 2:00 – 6:00
રામ મંદિરમાં કુલ 20 પૂજારી દ્વારા રામ લલ્લાની પૂજા કરવામાં આવશે.
કોણ છે રામ મંદિરના મુખ્ય પૂજારી ?
આચાર્ય સત્યેન્દ્રદાસ
અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ બાળ સ્વરૂપમાં છે. ભગવાન શ્રી રામની આ બાળ સ્વરૂપ મૂર્તિ મૈસુરના અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
કોણ છે રામ મંદિરની પ્રતિષ્ઠાના મુખ્ય મહેમાન ?
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી રામ મંદિર પ્રતિષ્ઠા અયોધ્યાના મુખ્ય મહેમાન છે.
કુલ સાત હજાર મહેમાનો આ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પધારવાના છે. એવો અંદાજ લગાવવામાં આવે છે. આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. વિવિધ માધ્યમો દ્વારા લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવશે.
રામ મંદિર પ્રતિષ્ઠામાં પધારનાર મહેમાનો
અનુષ્કા શર્મા – વિરાટ કોહલી
રણવીર કપૂર – આલિયા ભટ્ટ
ટાઈગર શ્રોફ – જેકી શ્રોફ
રામચરણ તેજા
આયુષ્યમાન ખુરાના
રજનીકાંત
રણદીપ હુડ્ડા
કંગના રણૌત
મુકેશ અંબાણી
ગૌતમ અદાણી
અમિતાભ બચ્ચન
સચિન તેંડુલકર
એમ. એસ. ધોની
રતન ટાટા
અરુણ ગોવીલ
દીપીકા ચીખલીયા
ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, બાબા રામદેવ, રાષ્ટ્રીય સેવા સંઘના પ્રમુખ મોહન ભાગવત
આ સિવાય પણ અન્ય ઘણા મહેમાનો પધારવાના છે.
આમ આપણે અહીં અયોધ્યામાં તૈયાર થઈ રહેલા અને હવે જેના ઉદ્ઘાટનમાં ગણતરીના દિવસો જ બાકી છે એવા રામ મંદિર અને રામ લલ્લા વિશેની માહિતી મેળવી.
22 જાન્યુઆરી 2024 ને સોમવાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તો આવો આ ભવ્ય ઉત્સવની ઉજવણીનો ભાગ બનીએ.
સિયાવર રામચંદ્ર કી જય
Ayodhya Ram mandir raam temple management
#Ayodhya #Ram #mandir #raam #temple #management
સૌજન્ય – https://gujarati.indianexpress.com/national-news/ram-mandir-pran-pratistha-ceremony-ram-temple-will-not-be-affected-by-earthquake-and-flood-ap/248575/
Join with me…
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link…
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram…
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube…
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….