Home SUVICHAR Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (ઉમા સંહિતા)

Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (ઉમા સંહિતા)

0

Shiv Mahapurana part 5 ved vyas dharm hindu mythology

શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (ઉમા સંહિતા)

નરક, મૃત્યુ પહેલા શરીરમાં દેખાતા લક્ષણો અને અમર બનવા માટેની મોનોપોલિ ખોલી આપતી પદ્ધતિઓ આ સંહિતામાંથી જાણવા જેવી છે. વ્યાસજી કદાચ આજના યુગની ‘હાડમારી’ જોઈ નહીં હોય, નહીં તો તે અમર થવાના એ રહસ્યને રહસ્ય જ રહેવા દેત….

પુસ્તક —- શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ

સંહિતા – ઉમા સંહિતા

શિવપુરાણની આ સંહિતા મિસ્ટ્રી છે. ‘કાળું રહસ્ય’ તમે કહેશો કાળું રહસ્ય? હા. આ
સંહિતામાં નરકનું વર્ણન છે, તેમાં કેવા કર્મોથી કેવા ફળ મળે તેનું વર્ણન છે. આ
વાંચીને મને ભગવતીચરણ વર્માની ‘ચિત્રલેખા’ ઉપન્યાસ યાદ આવી. આ
નવલકથાની શરૂઆત જ ‘પાપ’ શબ્દથી થાય છે. ચિત્રલેખા જેવી દેવદાસીના મુખે
પાપ અને પુણ્યના લેખા-જોખાં મૂકીને જાણે વર્માજીએ ભર્માંડમાં મૂકી દીધા છે! આ
નવલકથાનો નાયક પોતાના ગુરુ સાથે ચર્ચા કરવા કરતા દેવદાસી સાથે ચર્ચા
કરવાનું વધારે સારું વિચારે છે… ચિત્રલેખાને મળીને તે જીવન, સુખ, અનુરાગ,
વિરાગ, પાપ, પુણ્ય આવા બધા શબ્દોના અર્થો શોધવા નીકળી પડે છે.

ઉમા સંહિતામાં 4 થી 12 અધ્યાય સુધી વિવિધ પ્રકારના નરકનું વર્ણન આવે છે. આ
વાંચીને ઓશો યાદ આવે જ. પણ મને વધુ યાદ આવે છે અંગ્રેજ નિબંધકાર
એલડોસ હ્યુક્ષલે (Aldous Huxley) (હું સીધું અંગ્રેજી એટલે મૂકી દઉં છું જેથી
તેનો જે સાચો ઉચ્ચાર થતો હોય તે તમે કરી શકો…) તેણે બ્રેવ ન્યૂ વર્ડ નામના
પુસ્તકમાં એક સરસ વાક્ય લખ્યું છે – “Maybe this world is another
planet’s hell.” હાહાહાહ… તમે પણ સહમત છો જો તમારું મન તો હસી જ
પડ્યું! પણ તમે એ સ્વીકારી શકતા નથી, કારણ કે કોઈ આપણાં ઘરને ગંદું કહે કે
કેમ સ્વીકારાય, નહીં!! વ્યાસજી કદાચ આજના યુગની ‘હાડમારી’ જોઈ નહીં હોય,
નહીં તો તે આ હ્યુક્ષલે જેવું જ લખત.

મારું તો ખાસ એવું માનવું છે કે સ્વર્ગ કે નરક બીજે કશે નથી દરેક માણસને તેના
કર્મના જવાબ અહીં જ આપીને જવા પડે છે. ખરેખર તે કર્મના જવાબ નથી પણ
પેરાસાયકોલોજીનું માનો તો તે તમે જ તમારી જાતને આપેલું વળતર છે. સરળ
ભાષામાં સમજીએ તો તમે જેવું કામ કરો છો તેવા વેવ્સ તમારી આસપાસ રચાય
છે, એ વેવ્સ જ એક જાળું (metrix) રચે છે. આ જાળામાંથી છૂટવા માટે આ વેવ્સ
જ તમારી સામે રિટર્ન થિયરી વાપરે છે. જરાસંઘનો વધ કરતી વખતે કૃષ્ણએ એ જ
મનોવિજ્ઞાન રજૂ કર્યુ કે એ સો ગાળ બોલ્યો એટલે તેનો આત્માદુષિત થઈ ગયો,
પછી તે જીવે કે મરે શું ફર્ક પડે છે, અર્થાત્ જે કામ કરતા તમારો આત્મા દુભાય છે,
તે જ પાપ છે. તમે કોઈને ગાળ કે મારવાનો કે કોઈને હેરાન કરવાનું ત્યારે જ
વિચારશો જ્યારે તમે દુઃખની લાગણી અનુભવો છો. દુઃખની લાગણી અનુભવો છો,
એ જ તો પાપ છે. ઝેન-ઈઝમ કહે છે કે કારણ કે તમે દુઃખની લાગણી ત્યારે જ
અનુભવો છો, જ્યારે તમે તમારા આત્માને છેતરો છો. ‘ફિલોસોફિ ઓફ માઈન્ડ’
વિષય પર સંશોધન કરનાર લુડવિંગ (Ludwig Wittgenstein) ખૂબ સરસ
એક વાક્યમાં વાત કરે છે કે “Hell isn’t other people. Hell is
yourself.”

તમે કહેશો કે આમાં હું બોલ્યો એવું ‘રહસ્ય’ તો આવ્યું નહીં તો જણાવું કે આ
સંહિતામાં નર્ક વિશે એવું વર્ણન છે કે વાંચીને કાં તો આપણને હસવું આવે અને કાં
તો રહસ્ય લાગે. હસવું એટલે ખાળવું રહ્યું કે ‘વ્યાસ વિશાલબુદ્ધે’ એવું કહેવાયું છે,
તેથી તેણે ખાલી લખવા ખાતર તો નહીં લખ્યું હોય!? વિદેશમાં પણ નરક વિશે
અવનવી કલ્પના થઈ છે. દરેક ધર્મમાં સ્વર્ગ અને નરક હોવા કંપલ્સરી છે. આ બે
દુકાનો ઉપર તો ધર્મના ધંધાનો આધાર હોય છે, આફટર ઓલ પાપી પેટકા સવાલ
હૈ…

પણ અહીં આપેલા નરકના વર્ણનો ગુરુડપુરાણના જ અવતરણો હોય તેવું લાગે છે.
પણ મજા તો એ વાતની છે કે એક મિસ્ટ્રીક વાર્તા તરીકે માણવા જેવો ભાગ છે
કેટલાક ટાઈટલ્સ તમે વાંચશો તો મજા આવશે…

– નરકમાં લઈ જનારાં પાપોનું સંક્ષિપ્ત વર્ણન
– પાપીઓ અને પુણ્યાત્માઓની યમલોકની યાત્રા
– એક સો ચાલીસ રૌરવ નરકની નામાવલી આલેખાયેલી છે.
– વિવિધ પાપને કારણે મળનારી નરકયાતનાનું વરણન રસપ્રદ છે અને રહસ્ય
એટલા માટે કે આ મળે છે કે નહીં તેનો પૂરાવો આપવા હજુ કોઈ ગયેલો પાછો
આવ્યો નથી…, મેં કહ્યું ને કે અહીં ને અહીં તેણે ભોગવી લીધું હોય તો માનવું કે
તેને તેના કર્મોની સજા મળી છે.

અહીં એક વાત મને સારી લાગી કે આમાં એક પાપ લખેલું છે કે જે ગાય-કુતરાને
ભોજનબલિ નથી આપતો તેને પાપી કહ્યા છે, તે નરકમાં જાય છે. આ વાત એટલે
સાચી છે કે આવા મૂંગા પ્રાણીઓ એક સમયે આપણા ઉપર એટલે કે માણસની
રોટલી પર નભતાં હતા અને તેની સાથે સંબંધ જળવાયેલો હતો. તેને તમે નહીં
નાખો તો તે માંસા હાર કરશે, તે વધુ હિંસક થશે…, આથી આવા નાના પ્રાણી પક્ષી
માટેનો ભાગ કાઢવાનું આવા લાતો કે ભૂત બાતો સે નહીં માનતે તેવા વર્ગના લોકો
માટે આવું લખ્યું હશે.

અધ્યાય 16માં જ્ઞાનની મહિમા છે, તે પ્રકરણ વાંચવા જેવું છે. તેમાં એક વાત એ
સારી છે કે વ્યાસજી લખે છે કે – પાપ કરીને પાપ કર્યાનું ચિત્તમાં ભાન થાય અને
પ્રાયશ્ચિત કરવા માટે ચિત્ત રાજી થાય ત્યારે સાચું જ્ઞાન થયું છે એવું સમજવું. અઢાર
પુરાણ, ચાર વેદોનો પુનઃઉદ્ધાર, વ્યાકરણ ગ્રંથનું વિવેચન, અગીયાર ઉપનિષદોનો
પુનઃઉદ્ધાર, અને મહાભારત જેવા મહાનજ્ઞાનગ્રંથ રચનાર જ્ઞાનના ઉપાસક વ્યાસજી
જ લખી શકે તેવા જ્ઞાન વિશેના વાક્યો ટપકાવી લેવા જેવા છે કે –
જ્ઞાન જ પરબ્રહ્મ છે, અને જ્ઞાન જ તત્વબોધનું કારણ છે. આ આખું ચરાચર વિશ્વ
જ્ઞાનમય છે. એ પરમ વિજ્ઞાનથી ભિન્ન બીજી કોઈ વસ્તુ જ નથી.

આ સંહિતામાં આગળ જતાં અધ્યાય 17થી 25 સુધીમાં ઉમાદેવી મહાદેવને પ્રશ્ન કરે
છે કે મૃત્યુના લક્ષણો જણાવવા માટે અને મૃત્યોન્નમૂખી વ્યક્તિ કેવો હોય તેના
સામુદ્રિકશાસ્ત્રીય લક્ષણો જણાવવામાં આવે છે. દેવી પાર્વતીજી 26માં અધ્યાયમાં
પૂછે છે કે મૃત્યને જીતવા માટેના કયા ઉપાય હોઈ શકે તો તેને જીતવા માટે
શબ્દબ્રહ્મની ઉપાસનાનું અનુસંધાન કરવાનું કહેવામાં આવે છે. 27માં અધ્યાયમાં
અમરતા પ્રાપ્ત કરવાના યોગો વિશે પણ માહિતી આપવામાં આવે છે. આ
અધ્યાયમાં કહેવાયું છે કે પ્રાણાયામ, ભ્રૂમધ્યમાં અગ્નિનું ધ્યાન, મુખથી વાયુપાન
અ વળેલી જીભ દ્વારા ગળાની અંદર પડજીભનો સ્પર્શ આ આસનોની વિવિધ રીત
વિગતે લખી છે અમરતા પ્રાપ્ત કરવા માટેની….(છેને મેં આગળ કહ્યું તેમ
રહસ્યમયી સંહિતા) આ પછીના અધ્યાયમાં તો કાલિકા માતાની અવતાર કથા અને
શુમ્ભ-નિશુમ્ભ વગેરે દૈત્યોને મૃત્યુદંડ આપ્યા સુધીની કથા લાંબી થાય છે. 50માં
અધ્યાયમાં દુર્ગાજીનું પ્રાગટ્ય અને 51માં અધ્યાયમાં તેની પૂજાનું વર્ણન આમ આ
‘ઉમા સંહિતા’ આટલું વર્ણન છે.

અહીં નરકનું વર્ણન છે, અહીં મૃત્યુનું વર્ણન છે, અહીં આદિમાનવના જન્મથી દરેક
જીવ જેની પ્રાપ્તિની કોશિશ કરે છે તે પ્રાપ્તિ માટેની મોનો પોલી ખોલી આપી છે,
અમરતા વિશેની સાધના બતાવી છે. શું અને કેવી રીતે મળવાથી અમરતા પ્રાપ્ત
થઈ જાય? તેનો ખૂલ્લો જવાબ છે, પણ કર શકો તો દેખલો… તેવી એડવાટાઈઝ
અંદાજમાં વ્યાસજીએ ખૂલ્લી ચેલેન્જ મૂકી છે.

આ સંહિતાનું નામ જ દેવીના નામ પરથી છે, આ સંહિતામાં તમામ પ્રશ્નો દેવી ઉભા
કરે છે અને ઉકેલ પણ તે જ આપે છે. ખૂરસીમાં બેઠો બેઠો અવકાશના રહસ્ય
ઉકેલનાર સ્ટિફન હોકિંગ્સ જેવો વિજ્ઞાની પણ કહે છે કે મને સ્ત્રી રહસ્યાત્મક લાગી છે,
તો પછી વ્યાસ કે આપણું શું ગજું …. !!!! (હાહાહહા)

error: Content is protected !!
Exit mobile version